થોડી બેદરકારી તમને બનાવી શકે છે કંગાળ, ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિ સાથે કંઈ ખરાબ થાય છે તો તે પોતાના નસીબને દોષ આપવા લાગે છે. વાસ્તવમાં આ બધાં ખરાબ ફળોની પાછળ વ્યક્તિની ખરાબ ટેવ અને કાર્યો હોય છે, જેના કારણે આ બધું સહન કરવું પડે છે. વ્યક્તિની ખોટી આદતો તેના જીવનમાં સુખ અને શાંતિ છીનવી લે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ આદતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તમારી થોડી બેદરકારી ગરીબી તરફ દોરી શકે છે. આવો જાણીએ કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ ખરાબ આદતોથી મા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે?
ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કેટલાક લોકો ચાલે ત્યારે તેઓ તેમના પગ ઘસડીને ચાલે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વ્યક્તિની આ આદત ઘણી ખરાબ હોવાથી અંતે વિનાશ તરફ દોરાય છે. તેમજ વ્યક્તિના લગ્નજીવન પર ખરાબ અસર પડી શકે છે. એટલું જ નહીં તેનાથી પરસ્પર મતભેદ પણ ઉદભવી શકે છે.
વિખરાયેલું રસોડું:
શાસ્રોમાં કહ્યું છે કે ઘરમાં જો રસોડાનો સામાન જેમતેમ પડેલો હોય તો તમને ગરીબી તરફ દોરી શકે છે. જો રસોડામાં વસ્તુઓને આ રીતે ફેલાવીને છોડી દેવામાં આવે તો મા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે અને સાથે આર્થિક મુશ્કેલી પણ પડી શકે છે. જો વસ્તુઓને વ્યવસ્થિત રીતે રાખવામાં ન આવે તો વ્યક્તિના ખિસ્સામાં પૈસા ટકતા નથી, બિનજરૂરી ખર્ચા વધવા લાગે છે.
નખ ચાવવાની આદતઃ
કેટલાક લોકોને નખ ચાવવાની ખરાબ આદત હોય છે. એવું માનવામાં આવે છે કે નખ ચાવવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો પડી જાય છે. જેની વ્યક્તિના સ્વાસ્થ્ય અને કામ પર ખરાબ અસર પડી શકે છે.
વિખરાયેલાં ચપ્પલઃ
એવી માન્યતા છે કે અહીં વેરવિખેર પડેલાં ચપ્પલો વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. સાથે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલાં કાર્ય બગડવા લાગે છે અને નિષ્ફળતા જ મળે છે.
ગંદકીમાં જીવવું:
કહેવાય છે કે “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા”. આમ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે, તેથી જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આસપાસ ગંદકી રાખવાથી વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર પડે છે. જે લોકો જીવનમાં સુખ-સમૃદ્ધિ ઇચ્છે છે તેમણે આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.